રાજ્યના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ હવે વધારી દેવામાં આવી છે. gyan sadhana scholarship 2026
હવે જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર સમયસર ફોર્મ ભરી શક્યા નહોતા, તેઓને ફરી તક મળી છે. નવી જાહેર થયેલી તારીખ મુજબ, વિદ્યાર્થીઓ 28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આ સ્કોલરશીપ ખાસ કરીને ધોરણ 8 પછીના તેજસ્વી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય કરવા માટે આપવામાં આવે છે. રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ આ યોજના નો લાભ લે છે.
મહત્વપૂર્ણ મુદ્દા:
- ઓનલાઈન અરજીની મુદત લંબાવવામાં આવી
- નવી છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી
- પરીક્ષા તારીખ: 4 એપ્રિલ
- લાખો વિદ્યાર્થીઓને મળશે લાભ